આદિવાસી મહિલાઓના ઉત્કર્ષમાં પૂર્ણિમાબેન પકવાસાનું પ્રદાન

Abstract

આદિવાસી મહિલાઓના વિકાસમાં પૂર્ણિમાબેન પકવાસાનું સ્થાન એ અનન્ય અને અજોડ છે. પોતે એક આદિવાસી નારી ન હોવા છતાં તેમણે આ અત્યંત પછાત વિસ્તારની નારીઓને લઈ તેમને માટે જ શિક્ષણ અને નારી ઉત્થાનના કાર્યો કર્યા છે તે માટે તેને ડાંગની દીદી કહેવામાં આવે છે. તેમણે ગાંધીજીના આદર્શને અનુસરીને સાચો વિકાસ તો ગામડાનો થવો જોઈએ. અને પછાત વર્ગની મહિલાઓનો વિકાસ એ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે અત્યંત દુર્ગમ, પછાત એવા વિસ્તારમાં તેમણે આદિવાસી બાળાઓ માટે શૈક્ષણિક સંસ્થા ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ અને સાથે-સાથે તેમને જીવન ઉપયોગી કૌશલ્યો જેવા કે લશ્કરી તાલીમ, સંગીત આધ્યાત્મિક બાબતો, ઘોડેસવારી, ગૃહ ઉદ્યોગ અને અર્થોપાજન કેવી રીતે મેળવવું તેની તાલીમ વગેરેની તાલીમ આપી તેમણે સાચે જ આ આદિવાસી વિસ્તારની મહિલાઓમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના આવા કાર્યોને બિરદાવતા સરકાર તરફથી તેમને ઘણા બધા એવૉર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.

આ રીતે પૂર્ણિમાબેને ગાંધી વિચારને અનુસરીને પોતાના જીવંતપર્યત દરમિયાન આદિવાસી મહિલાઓના વિકાસ માટે એક ભગીરથ અને મહાનકાર્ય કર્યું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન આ મહિલાઓના વિકાસ પાછળ સમર્પિત કરી દીધું હતું. 

VAISHALI RAJESHKUMAR CHAVDA

Ph.D. Research Scholar
GUJRAT VIDHYAPITH AHMEDABAD
Email : vrchavda93@gmail.com

DOI

Downloads

Leave a Reply